Satsang Sabha - Atlanta

Satsang Sabha - Atlanta

અમેરિકામાં સત્સંગ વિચરણ દરમિયાન સ્વામીશ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંતમંડળ સાથે આટલાન્ટા પધાર્યા હતા. અહીં આટલાન્ટા ઇવેન્ટ હોલમાં સંકીર્તન સંધ્યા અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રી સાથે પધારેલ પાર્ષદ શ્રી ઘનશ્યામ ભગતે મીરાંબાઇનું ‘કબહું મીલે પીયા મોરા’ એ સુંદર પદ ગાઇને સભાને ભાવવિભોર બનાવી હતી.

મીરાંબાઇની આ રચનાનો મર્મ સમજાવતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આપણા અંતરમાં મીરાંબાઇની જેમ હરિમિલનનો તલસાટ હોવો જોઇએ. દુનિયામાં નાસ્તિકોની સંખ્યા ઘણી ઓછી છે અને આવા નાસ્તિકો પણ મુશ્કેલીમાં સપડાય છે ત્યારે પરમાત્મામાં આસ્થા ધરાવતા થાય છે. દુનિયાના નેવું ટકા લોકો ભગવાનમાં માને છે, પરંતુ પ્રભુમિલનની પ્યાસ તો કરોડોમાં કોઇકને જ હોય છે. જ્યાં સુધી આવી પ્યાસ જાગતી નથી ત્યાં સુધી ખાલી માન્યતા અર્થહીન બની રહે છે. આપણો હરિ આપણા હૈયામાં જ વસે છે, પરંતુ એની સાથે મુલાકાતનો સમય આપણે ભાગ્યે જ કાઢીએ છીએ. આપણે જાતજાતના સંબંધીઓ શોધીએ છીએ, પરંતુ આપણા જન્મોજન્મના સાથીને ભૂલી જઇએ છીએ.

સ્વામીશ્રીનું આ પ્રવચન શ્રોતાઓના હૃદયમાં સુતેલી ચેતનાને જગાડવા માટે ભૈરવી સમાન રહ્યું હતું. સભામાં પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ભારે રસપ્રદ રહ્યો હતો. સભાને અંતે સર્વભક્તજનોએ મહાપ્રસાદ લીધો હતો.

ઉત્સાહી બહેનોએ ભાવથી જાતે જ મહાપ્રસાદ તૈયાર કર્યો હતો. આ પ્રસંગના યજમાન પદે ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ઘનશ્યામભાઇ ઢોલરીયા રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને સફળતાથી પૂર્ણ કર્યો હતો.

આટલાન્ટા, ગઢપુરધામ ખાતે સ્વામીશ્રીની સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મનસુખભાઇ ધાનાણી તથા અન્ય ભક્તજનોએ તેમજ મંદિરના પૂજારીશ્રી નિલકંઠ સ્વામીએ સ્વામીશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.

Picture Gallery

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.