SGVP Gurukul Parivar News
Shree Ram Mandir Seva
મકરસંક્રાન્તિના મંગળ પર્વે તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ, SGVP ગુરુકુલ દ્વારા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે અયોધ્યા રામલાલાના નૂતન રામમંદિર નિર્માણ માટે ૫૧,૦૦,૦૦૦/- (એકાવન લાખ રુપિયા) અર્પણ કરવામાં આવ્યા હતા.
HinduismChikki Annakut - Droneshwar (2021)
મકર સંક્રાંતિ, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ચીકકીનો અન્નકૂટ ધરાવાયો હતો.
AnnakutDroneshwar
Devotional program of mansion music - 2021
૨૦૨૧ નૂતન વર્ષની પ્રથમ દિવસની સંધ્યાએ SGVP ખાતે, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં હવેલી સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મેવાસી ઘરાનાના ગાયક અને સંગીતકાર શ્રી કૃષ્ણકાંત પરીખના શિષ્ય શ્રી હર્ષભાઇ પટેલના મુખે વિવિધ શાસ્ત્રીય રાગોમાં - આંખન આગે હું શ્યામ, આજ તો આનંદ બધાઇ, બરજો જશોદાજી કાન્હા, ગોકુલમેં બાજત કહાં બધાઇ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, લાલ ગોપાલ ગુલાલ હમારી, ગોવિંદ દામોદર સ્તોત્ર વગેરે હવેલી સંગીતની ભક્તિસભર રચનાઓ ગવાઇ ત્યારે સૌ શ્રોતા ભાવ વિભોર બન્યા હતા અને સૌએ તાલીઓના ગડગડાટ સાથે હર્ષભાઇને વધાવ્યા હતા.
Cultural / MusicDeepavali - 2020
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, દર વર્ષે ધન તેરસ - ભગવાન ધન્વંતરિના પ્રાગટ્ય દિવસે ધન્વંતરિ યાગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતનાં નામાંકિત વૈદરાજો સજોડે યજ્ઞમાં આહુતિઓ આપે છે.
Utsav
Annakut Distribution - Gurukul Ribda (Rajkot)
દીપાવલી – નૂતન વર્ષ સંવત્ ૨૦૭૭ના શુભ દિવસોમાં, જરૂરિયાતમંદોને અન્નકૂટનો પ્રસાદ આપીને નવા વર્ષનું સ્વાગત કરવા માટે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સમાજના ગરીબ - મજૂર વર્ગને અને વૃદ્ધાશ્રમના વડીલોને અન્નકૂટના પ્રસાદ રૂપે મીઠાઇ અને ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાની સાથે ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોએ વૃદ્ધાશ્રમો, અનાથાલયો અને ગરીબ - મજૂર વર્ગને રૂબરૂ પ્રસાદનું વિતરણ કરીને તેમની શુભાશિષ મેળવી હતી.
AnnakutSocialHinduismRajkotDistribution of Daily Needs - Social Community - 2020
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા ઝાંઝરકા સવૈયાપીઠના મહંત શ્રી શંભુનાથજી મહારાજના આશીર્વાદ સાથે SGVP ગુરુકુલ તરફથી અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
SocialOnline Akhand Dhun - 2020
વિશ્વમાં ચાલી રહેલ કોરોનાનો પ્રકોપ પરમાત્મા શાંત કરે એવા આશયથી અધિક માસની પવિત્ર કમલા એકાદશીના દિવસે ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી રાત્રિના ૮ થી ૯ એક કલાકની સામૂહિક ધૂનનું આયોજન થયું હતું, જેમાં રાજકોટ, અમદાવાદ, અમરેલી, કુંકાવાવ, ધારી, ખાંભા, સાવરકુંડલા, ઊના, ખાખરિયા, ઝાલાવાડ વગરે વિસ્તારના અઢીસો ઉપરાંત ગામડાંઓ જોડાયા હતા.
કોઈ કોઈ ઉત્સાહી ગામડાંઓમાં ત્રણ કલાકની ધૂન થઈ હતી તો કોઈ ગામડાંઓમાં બાર-બાર કલાકની ધૂન પણ થઈ હતી.
વાપી, દાણુ, વલસાડ બાજુના ભક્તિ મંડળના બહેનોએ સાડા પાંચ હજાર કલાક ધૂન કરી હતી.
Spiritual