SGVP Gurukul Parivar News
Tribute to the Martyrs at Chhattisgarh - 2021
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાના સરહદી વિસ્તારમાં ૦૩ એપ્રિલ ૨૦૨૧ શનિવારે સુરક્ષા દળો અને નકસલવાદીઓ વચ્ચેની અથડામણમાં ૨૨ જેટલા જવાનો શહીદ થયા અને ૩૧ જેટલા જવાનો જખ્મી થવાની દુ:ખદ ઘટના ઘટી, ત્યારે રાષ્ટ્રીય શોકની આ દુ:ખદ ઘડીએ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આદેશથી આ શહીદ અને ઘાયલ થયેલ જવાનોના પરિવાર જનોને સાંત્વના અને ધીરજ મળી રહે તે માટે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષણદાસજી સ્વામીના સાનિધ્યમાં સંતો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે પાવનકારી એક કલાક અખંડ ધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું.
SGVPMemnagarAhmedabadHinduismSocialWorld Sparrow Day - 2021
કોઈ પણ સ્થાનિક પર્યાવરણમાં રહેલા જંતુઓથી માંડીને પશુ, પક્ષીઓ, વૃક્ષો, વનરાજી, વગેરે તે તે પર્યાવરણના એક ભાગ રૂપે પૂરક સભ્ય બનીને પર્યાવરણની જાળવણીમાં મોટો ભાગ ભજવતા હોય છે.તેમાં એકાદ ભાગમાં થયેલ ફેરફાર સમગ્ર પર્યાવરણને નુકશાન પહોંચાડે છે.
DroneshwarGrapes Celebration (Draksh Falkut Utsav) - 2021
મહાશિવરાત્રિના મંગળ પર્વે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ખાતે સંત નિવાસમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજને દ્રાક્ષનો ફલકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો.
ધર્મજીવન હોસ્ટેલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ આ દ્રાક્ષ ફલકૂટમાં સહયોગ આપીને શ્રી ઘનશ્યામ મહારાજને ૭૦૦ કિલો જેટલી દ્રાક્ષ ફલકૂટના રૂપમાં ધરાવવામાં આવી હતી.
HinduismSpiritualAhmedabadSGVPChharodi
Mahashivaratri Festival - 2021
શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સત્સંગીઓને આજ્ઞા કરી છે, કે વિષ્ણુ, શીવ, ગણપતિ, પાર્વતિ અને સૂર્યનારાયણનું અમારા ભકતોએ આદર થકી પૂજન કરવું અને શિવરાત્રીના દિવસે શિવજીનું પૂજન તથા ઉત્સવ કરવા. એ આજ્ઞા પ્રમાણે ગુરુકુલ પરિવાર દ્વારા શિવપર્વોના દિવસે વિશેષ પૂજન, અનુષ્ઠાન થાય છે.
પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP ગુરુકુલ પરિવારના બધા શાખા ગુરુકુલોમાં શિવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
MemnagarSpiritualHinduismAhmedabadGolden Success in Sanskrit
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે, કુલપતિ ગોપબંધુ મિશ્રાજીની ઉપસ્થિતિમાં, ૧૩ મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમા ૭૫૦ જેટલા છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી.જેમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંત મુનિવત્સલદાસજી સ્વામીએ ઉપનિષદ્ અને વચનામૃત આાધારિત ચાર પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ વિષય પર શોધનિબંધ રજુ કર્યો હતો. તેમજ રાવલ અંકિતે વ્યાકરણમાં સિદ્ધાન્ત કૌમુદીની અર્થપ્રકાશ ટીકા આધારિત શોધનિબંધ રજુ કરતા કુલપતિશ્રીના હસ્તે પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.
HinduismAchievementsSpiritualSGVPAhmedabadGolden Success in Sanskrit - 2021
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે, કુલપતિ ગોપબંધુ મિશ્રાજીની ઉપસ્થિતિમાં, ૧૩ મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમા ૭૫૦ જેટલા છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી.જેમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થી સંત મુનિવત્સલદાસજી સ્વામીએ ઉપનિષદ્ અને વચનામૃત આાધારિત ચાર પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ વિષય પર શોધનિબંધ રજુ કર્યો હતો. તેમજ રાવલ અંકિતે વ્યાકરણમાં સિદ્ધાન્ત કૌમુદીની અર્થપ્રકાશ ટીકા આધારિત શોધનિબંધ રજુ કરતા કુલપતિશ્રીના હસ્તે પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી.
HinduismAchievementsSpiritualSGVPAhmedabadCovid-19 vaccination to 400 Seniors - 2021
કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન પ્રમાણે, SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં SGVP ગુરુકુલ પરિવારના ગુરુસ્થાને વિરાજમાન ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પાર્ષદ શ્રી કનુભગતને SGVP હોલિસ્ટીક હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલ વેક્સિનેશન સેન્ટર ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવેલ.
HospitalChharodiAhmedabadDharmajivan Bhavan Shilanyas - Gurukul Ahmedabad
ધર્મજીવન ભવન શિલાન્યાસ – ગુરુકુલ અમદાવાદ
ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૩મી પુણ્યતીથિ, મહા વદ બીજ, તા. ૦૧ માર્ચ, ૨૦૨૧ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર ખાતે વિશાળ ધર્મજીવન ભવનનો શિલાન્યાસ વિધિ સદગુરુ સંતોના વરદ હસ્તે સંપન્ન થયો.
AhmedabadHinduismSpiritualPrayer Hall Khat Muhurta - Gurukul Droneshwar
મહા સુદ 13, ગુરુવાર તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના પરિસરમાં નૂતન પ્રાર્થના મંદિરનું ખાત મૂહુર્ત ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિકવિધિ સાથે કરવામાં આવ્યું હતું. પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના વરદ હસ્તે પૂજન કરેલી ઈંટોથી ખાત વિધિ કરવામાં આવી હતી.
DroneshwarShree Ram-Shyam-Ghanashyam Patotsav - SGVP
SGVP ગુરુકુલ-છારોડી ખાતે, શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના ૧૬મા પાટોત્સવ પ્રસંગે, પ્રસાદીભૂત અડાલજ વાવના જળને ઘડામાં ભરી લાવતા, ગુરુકુલ પરિસરમાં જલયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
PatotsavKavya Goshthi - Kavi Shree Rajendrabhai Shukla - 2021
કવિશ્રી રાજેન્દ્રભાઇ શુક્લ દ્વારા કાવ્ય ગોષ્ઠિ
ChharodiShree Ram Mandir Seva
મકરસંક્રાન્તિના મંગળ પર્વે તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ, SGVP ગુરુકુલ દ્વારા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે અયોધ્યા રામલાલાના નૂતન રામમંદિર નિર્માણ માટે ૫૧,૦૦,૦૦૦/- (એકાવન લાખ રુપિયા) અર્પણ કરવામાં આવ્યા હતા.
HinduismChikki Annakut - Droneshwar (2021)
મકર સંક્રાંતિ, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને ચીકકીનો અન્નકૂટ ધરાવાયો હતો.
AnnakutDroneshwar
Devotional program of mansion music - 2021
૨૦૨૧ નૂતન વર્ષની પ્રથમ દિવસની સંધ્યાએ SGVP ખાતે, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં હવેલી સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મેવાસી ઘરાનાના ગાયક અને સંગીતકાર શ્રી કૃષ્ણકાંત પરીખના શિષ્ય શ્રી હર્ષભાઇ પટેલના મુખે વિવિધ શાસ્ત્રીય રાગોમાં - આંખન આગે હું શ્યામ, આજ તો આનંદ બધાઇ, બરજો જશોદાજી કાન્હા, ગોકુલમેં બાજત કહાં બધાઇ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, લાલ ગોપાલ ગુલાલ હમારી, ગોવિંદ દામોદર સ્તોત્ર વગેરે હવેલી સંગીતની ભક્તિસભર રચનાઓ ગવાઇ ત્યારે સૌ શ્રોતા ભાવ વિભોર બન્યા હતા અને સૌએ તાલીઓના ગડગડાટ સાથે હર્ષભાઇને વધાવ્યા હતા.
Cultural / Music