SGVP Gurukul Parivar News

Subscribe to SGVP Gurukul Parivar News feed
Updated: 15 hours 30 min ago

Free Wellness Center: SGVP Gurukul Ribda - 2023

March 11, 2023 - 12:00am

SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) આયોજીત નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્ર

પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીના હસ્તે તા ૧૨ માર્ચ ૨૦૨૩ ના રોજ નિઃશુલ્ક આરોગ્ય કેન્દ્રનો (Free Wellness Center) મંગલ શુભારંભ થયો.

SocialHealthRajkot

Pushpadolotsav Gurukul Ahmedabad - 2023

March 8, 2023 - 12:00am

અમેરિકાની ધરતી ઉપર સત્સંગ વિચરણ કરતા પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે તા. ૦૮ માર્ચ, ૨૦૨૩ના રોજ, શ્રી નરનારાયણ દેવનો જન્મોત્સવ, ફુલદોલોત્સવના રૂપમાં ભક્તિ અને આનંદસભર વાતાવરણમાં ઉજવાયો હતો. શ્રી નરનારાયણ દેવ પોતાના ભકતોની ભક્તિમાં કોઇ વિઘ્ન ન થાય તે માટે પોતે બદરિકાશ્રમમાં તપ કરે છે.

SpiritualUtsav CelebrationPushpadolotsavMemnagarAhmedabad

Divyang Seva Yagna : Prosthetic Legs Distribution - 2023

February 26, 2023 - 12:00am

યજ્ઞ અનુષ્ઠાન પરાયણ અ.નિ.પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં SGVP હોલિસ્ટીક હોસ્પિટલ દ્વારા, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં, પૂજ્ય સ્વામીજીના ૨૫૧ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓને કૃત્રિમ પગ (prosthetic legs) અર્પણ કરાવામાં આવ્યા હતા.

SocialChharodiAhmedabad

International Seminar, BHU Banaras - 2023

February 11, 2023 - 12:00am

આદરણીય મહામના મદનમોહન માલવીયાજી દ્વારા સંસ્થાપિત અને વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતે આવેલા વેદ વિજ્ઞાન કેન્દ્રમાં 'વૈદિક વિધિશાસ્ત્ર અને સમસામયિક વિશ્વ ઉપર એમનો પ્રભાવ' એ વિષયને આધારે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું. ઉપરાંત, સ્વામીશ્રી આ સેમિનારના કી-નોટ સ્પીકર પણ હતા.

BanarasSeminar

ગ્રંથ વિમર્શ ગોષ્ઠી - 2023

January 30, 2023 - 12:00am

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને એસજીવીપી ગુરુકુલના સંયુકત ઉપક્રમે, મુંબઇ જન્મભૂમિ દૈનિકપત્રના તંત્રી શ્રી કુંદનભાઇ વ્યાસના પુસ્તકો (દિલ્હી દરબાર - નહેરુથી માંડીને નરેન્દ્ર મોદી સુધી (ભાગ ૧ અને ૨) તથા એક પત્રકારની વ્યવસાય યાત્રા) નામક ત્રણેય પુસ્તકો વિષે ગ્રંથ વિમર્શ ગોષ્ઠીનું આયોજન ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ એસજીવીપી ગુરુકુલ ખાતે કરવામાં આવ્યું હતું.

ChharodiAhmedabad

Annakut Prasad Distribution,SGVP - 2023

January 27, 2023 - 12:00am

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વસંતપંચમી મહોત્સવ પ્રસંગે શિક્ષાપત્રી જયંતી અને રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો ૧૮મો પાટોત્સવ ઉજવાયો હતો.

પાટોત્સવ પ્રસંગે શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને અભિષેક બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

SocialSpiritualAnnakutPatotsavChharodiAhmedabad

શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજ પાટોત્સવ - 2023

January 26, 2023 - 12:00am

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે વસંતપંચમી મહોત્સવ પ્રસંગે ચતુર્વિધ કાર્યક્રમ - શિક્ષાપત્રી જયંતી, રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજનો ૧૮મો પાટોત્સવ, પ્રજાસત્તાક પર્વ અને શાકોત્સવ ઉજવાયો હતો. ગુરુકુલ પરંપરાનો સ્થાપના દિવસ અને સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીના જન્મજયંતીના શુભ સંયોગથી વસંતપંચમી મહોત્સવ ગુરુકુલ પરિવાર માટે સવિશેષ મહત્ત્વનો બની રહે છે.

SpiritualPatotsavChharodiAhmedabad

Republic Day Celebration - 2023

January 26, 2023 - 12:00am

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રજાસત્તાક પર્વ શાનદાર રીતે ઉજવવામાં હતું.

EducationalPatriotismChharodiAhmedabad

NABH accreditation to SGVP Holistic Hospital

January 8, 2023 - 12:00am

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિષ્ણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

MedicalYogaayurvedallopathyChharodiAhmedabad

Darshanam Runners up in State Sanskrit Competition - 2023

January 6, 2023 - 12:00am

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને શાંડિલ્ય વેદ સંસ્કૃત પાઠશાળા બદ્રિનાથ મંદિર, સુરતના યજમાન પદે આયોજીત, રાજ્યસ્તરીય શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની ૪૬ પાઠશાળાઓમાંથી ૬૦૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો. તેમાં એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૩૦ ઋષિકુમાર સ્પર્ઘકોએ ભાગ લીધો હતો.

AchievementsChharodiAhmedabad

માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાને શ્રદ્ધાંજલિ

December 30, 2022 - 12:00am

માનનીય વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના માતુશ્રી હિરાબાનો અક્ષરવાસ થયો છે. ત્યારે આફ્રિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા SGVP ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સત્સંગસભામાં હિરાબાને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, પૂજનીય માતુશ્રી હિરાબાના અક્ષરવાસથી એક સુવર્ણ શતક પૂર્ણ થયું. એમની પવિત્ર આત્માને SGVP ગુરુકુલ પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.

SocialShraddhanjali SabhaChharodiAhmedabad

Honorable Dignitaries - 2022

December 22, 2022 - 12:00am

શ્રી બાવા જૈન (અમેરિકા) તથા શ્રી ભીખુ સંઘસેનાજી (લેહ-લદ્દાખ) મહારાજ

SGVP ગુરુકુલની મુલાકાતે

VisitChharodiAhmedabad

પરમ પૂજ્ય શ્રી શંકરાચાર્યજી (દ્વારિકાપીઠ)

December 8, 2022 - 12:00am

પરમ પૂજ્ય શંકરાચાર્યજી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (દ્વારિકાપીઠ) આદિ આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ સ્થાપેલ ચાર પીઠ માહેની એક એટલે દ્વારિકાની શારદાપીઠ. આ શારદાપીઠના આચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ તા. ૦૮ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ SGVP ગુરુકુલની મુલાકાતે પધાર્યા હતા. ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીએ સ્વામીએ પૂજ્ય મહારાજશ્રીનું સ્વાગત-સન્માન કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

VisitChharodiAhmedabad

Pomegranate Falkut Distribution - 2022

December 4, 2022 - 12:00am

On the holy month of Magashar and pious day of Mokshada Ekadashi, 04 Dec 2022, at SGVP Shree Swaminarayan Gurukul, under the inspiration of HH Guruvarya Shastri Shree Madhavapriyadasji Swami and HH Purani Shree Balakrishnadasji Swami, 3100 kg of fruits including 2100 kg of pomegranate and 1000 kg of other fruits were offered to Bhagwan Shree Rama, Shyam, and Ghanshyam Maharaj.

Utsav CelebrationFalkutSocialChharodiAhmedabad

પાટોત્સવ અને ભક્તિસત્ર – ૩ - 2022

December 3, 2022 - 12:00am

SGVP ગુરુકુલ રીબડા(રાજકોટ) ખાતે લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના તૃતીય પાટોત્સવ પ્રસંગે તા. ૨૯ નવેમ્બર થી ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨ દરમ્યાન પંચદિનાત્મક તૃતીય ભક્તિસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

SpiritualPatotsavBhakti SatraRibda

ભગવદ્‌ ગીતા જયંતીની ઉજવણી - 2022

December 3, 2022 - 12:00am

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ દ્વારા કાર્યરત દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારા માગશર સુદી એકાદશી તારીખ ૩ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગીતા જયંતિના દિવસે મહાવિદ્યાલયના આચાર્યો, ઋષિકુમારો તથા સંતો દ્વારા પ્રાતઃકાળે સંપૂર્ણ ભગવદ્‌ ગીતાનું સામુહિક ગાન કરવામાં આવ્યું હતું.

SpiritualUtsavBhagavad Gita JayantiChharodiAhmedabad